Psalms 127

1જો યહોવાહ ઘર ન બાંધે તો,
તેના બાંધનારાનો શ્રમ વ્યર્થ છે,
જો યહોવાહ નગરનું રક્ષણ ન કરે તો,
ચોકીદારની ચોકી કરવી કેવળ વ્યર્થ છે.
2તમારું વહેલું ઊઠવું અને મોડું સૂવું
અને કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે,
કેમ કે યહોવાહ પોતાના વહાલાઓ ઊંઘતા
હોય તોપણ તેમને આપે છે.

3જુઓ, સંતાનો તો યહોવાહ પાસેથી મળેલો વારસો છે

અને પેટનાં સંતાન તેમના તરફનું ઇનામ છે.
4યુવાવસ્થામાંના પુત્રો
બળવાન વીર યોદ્ધાના હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.
જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તે આશીર્વાદિત છે.
જ્યારે તે નગરના દરવાજે શત્રુઓ સામે લડશે,
ત્યારે તેઓ લજ્જિત નહિ થાય.
5

Copyright information for GujULB